Monday, November 29, 2010

Released........
My first work in Gujarati.
"તિમિર નો વિચ્છેદ" (Timir no Vicched).
Launched on 18-12-2010.

Friday, November 19, 2010

"તિમિર નો વિચ્છેદ"
લેખક- દિલીપ આર પંચમીયા
પ્રસ્થાવના
માનવી નું જીવન એક એવી શાળા છે જેના વર્ગ ચોવીસ કલાક નિરંતર ચાલતા રહે છે. એક સૈનિક પોતાના સેનાપતિ નો હુકમ પાળવા જે રીતે સુતા-જાગતા ચોવીસે કલાક તૈનાત હોય તેમ એક જાગૃત આત્મા ઈશ્વરે આપેલી પાંચે ઇન્દ્રિયોના પ્રવેશ દ્રાર હરહંમેશ ખુલ્લા રાખીની આ ઇન્દ્રિયો દ્રારા પ્રવેશતા જ્ઞાન ના ધોધ ને આવકારે અને તેમાંથી પોતાને યોગ્ય લાગે તે જાણે તથા શક્ય હોય તો અપનાવે અને બાકીનું જ્ઞાન લાકડા નો દડો જેમ ભીત ઉપર ફેકતા પાછો ફરે તેમ છોડી દે.
કોઈ પણ વ્યક્તિ ના જીવન કાળ દરમિયાન જે જે વ્યક્તિઓએ તેના પર પ્રભાવ પાડ્યો હોય તે દરેક તેના વિકાસમાં ભાગીદાર હોય. પછી માવતર હોય, ભાઈ-બંધુ હોય, શાળા કે કોલેજ ના શિક્ષક હોય, સગા-સબધી હોય, આડોશી-પાડોશી હોય, નાના બાળક હોય કે પુક્ત કે પ્રૌઢ હોય. એક જ્ઞાન-પિપાસુ વ્યક્તિ જીભ નો ઉપયોગ બોલવા કરતાં કાનનો ઉપયોગ સાંભળવામાં વધારે કરે, વાચા નો ઉપયોગ કટુ વચન કરતાં મૃદુલ ભાષા પાછળ કરે. શારીરિક ક્ષમતા નો ઉપયોગ કોઈ ઉપર જોહુકમી કરવા કરતાં વૈયાવચ માં કરે, હાથ નો ઉપયોગ સદ-કાર્યો માં કરે નહીં કે ચોરી-ચપાટીમાં.
દુનિયાના કોઈપણ દર્શન ઉપર નઝર કરીશું તો ખ્યાલ આવી જશે કે કોઈપણ કાર્ય ના બે પહેલું હોય જે એક દૃષ્ટિકોણ થી તે કાર્ય ને યોગ્ય તથા ઉચિત દર્શાવે અને તેના વિરોધાભાષી પહેલુથી તે જ કાર્ય અયોગ્ય અને અનુચિત કે દુર્ભાગ્યપૂર્ણ દર્શાવે. માટે કાર્યની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરવા કરતાં તેની પાછળ નો ભાવ કેવો છે તે મહત્વનું છે. શુદ્ધ ભાવથી કરવામાં આવેલા કાર્ય નું પરિણામ નરસું પણ હોય શકે તથા અશુદ્ધ ભાવથી કરેલું કાર્ય શુભ પરિણામ આપે છતાં યોગ્ય જ ઠરે.
આજ સુધીના પચાસ થી વધારે વર્ષોના જીવન કાળમાં જે જે વ્યક્તિઓના સંપર્ક માં મારે આવવાનું થયું અને તેવી વ્યક્તિઓ ના કોઈ પણ કાર્ય નો પ્રભાવ મારા જીવનમાં પડ્યો હોય કે મારા મન-મંદિર માં પડ્યો હોય તેવા કાર્યો તથા બીના કે ઘટનાઓ ને વાર્તા નું સ્વરૂપ આપી આપ મિત્રો ને પીરસવાની ઈચ્છા પોસવાની પ્રક્રિયા માંથી આ બુક નો જન્મ થયો છે. આ બુક માં સ્થાન પામેલ એક પણ પ્રસંગ જીવનની વાસ્તવિકતા થી પરે નથી કે દુર નથી. આશા રાખું છું કે આપ વાંચકો ને જરૂર રસ પડશે.
આપના તરફથી ટીકાના બે શબ્દો મને આગળ વધારે ને વધારે સારું લખવામાં પ્રેરણારૂપ થશે. અને હવે આધુનિક જગતમાં ટપાલીની ટીકીટ નો ખર્ચ પણ ક્યાં લાગે છે! આ રહ્યો મારો ઇમેલ આઈડી,
ઉપરાંત ફોન તથા એસ એમ એસ માટે ૦ ૯૯ ૮૭ ૫૦ ૫૦ ૯૮.

દિલીપ આર પંચમીયા
(ચાર્ટર્ડ એન્જીનીયર)


તિમિર નો વિચ્છેદ' વિવિધ સામાજિક પ્રસંગો ને આવરી લેતી પરંપરાગત વિચારધારા થી હટીને વસ્તુ કે બીના જોવાના એક અનોખા દૃષ્ટિકોણ નું અનાવરણ કરતી નવલિકા છે. આ નવલિકા ના કેન્દ્ર બિંદુ માં મુખ્ય પાત્ર ની ભૂમિકા રૂપે રમુભાઇ ની દીર્ઘ દ્રષ્ટિ ની પ્રતીતિ ના દર્શન જરૂર થાય છે. દિલીપભાઈ એ પોતાના પિતા રમણીકભાઈ ને આંખો સામે રાખી રમુભાઇ ના પાત્ર ની રચના બહુજ સુંદર રીતે કરી છે.
નવલિકા વાંચતા વાંચતા તેમાં દર્શાવેલા પ્રસંગો જાણે કે આંખ સામે પ્રતીત થાય છે. આ નવલિકા લખવામાં બહુ જ સરસ ગુજરાતી ભાષા નો પ્રયોગ કર્યો છે અને સમાજ ના દરેક વર્ગ ને આ નવલિકા વાંચવામાં રસ પડે તેનું ધ્યાન રાખી દિલીપભાઈએ આ નવલિકા નું સર્જન કર્યું છે.
વ્યવસાયે ચાર્ટર્ડ એન્જીનીયર, અને સાધારણ પણે વ્યસ્ત જીવન માં આ નવલિકા લખવાનો ક્યારે સમય મળી ગયો હશે તેનું રહસ્ય મારા મન માં સતાવે છે અને જયારે હું મન પર કાબુ ન કરી શક્યો ત્યારે મારા થી દિલીપભાઈ ને પુછાય ગયું. દિલીપભાઈ એ હસતા હસતા મને જવાબ આપ્યો કે દરરોજ સવારે એક-બે કલાક આ નવલિકા ના સર્જન પાછળ તેમને ખર્ચ્યા છે. અને 'દરરોજ' શબ્દ પ્રયોગ ભલે તેમણે કર્યો હોઈ પરતું અઠવાડિયા માં ત્રણ-ચાર દિવસ એક-એક કલાક લખવા પાછળ આપીએ તો તો ખાસ્સો સમય લાગી જાય! દિલીપભાઈ ને આ નવલિકા પૂર્ણ કરતા બે વરસ લાગી ગયા. બે વર્ષ સુધી કોઈ પણ કાર્ય પાછળ, વચ્ચે વચ્ચે ના વિક્ષેપ સાથે ભોગ આપવાનું ભગીરથ કાર્ય કર્યા પછી આવી નવલિકા નું સર્જન થાય તો કાર્ય પાર કરવાની કેટલી પ્રબળ તીવ્રતા તેમના હૃદયમાં વસતી હશે તેનું અનુમાન કાઢી શકાય.
પરંતુ શું ફક્ત કઠીન મહેનત કરવાથી કે ધગસ વડે આવી સુંદર રચના થઇ શકે? કદાચ નહિ. તેને માટે હોશિયારી ની પણ જરૂર પડે. વિચાર આવે કે એક એન્જીનીયર હોશિયાર હોઈ પરંતુ તેના ટેકનીકલ ક્ષેત્ર માં હોય. તેને માટે લીટરેચર માં સર્જન કરવું મુશ્કેલ છે. તે પણ ગુજરાતી ભાષા માં લખવું તેના થી પણ વધારે કઠીન બને. પરંતુ આવા અનેક અવરોધો ને પાર કરી આ નવલિકા સર્જન પામી છે.
દિલીપભાઈ મારા પીત્રાયભાઈ ની દીકરી ના જીવન સાથી હોવાથી સંબંધ ની દ્રષ્ટીએ મારા જમાઈ અને એકજ ઓફીસ માં સાથે લગભગ અઢાર થી વીસ વર્ષો થી અનેક વ્યવસાયિક તથા સામાજિક મુદ્દા ઉપર અમારે જયારે ચર્ચા થાય ત્યારે આ સસરા-જમાઈ નો સબંધ એક બાજુ પર મૂકી છુટા મને વિવાદ અને ચર્ચા થાય ત્યારે તેમના વિચારો નો અનુભવ થયો છે. આ અનુભવ પરથી તેમની કાર્ય-નિષ્ઠા જોઈ વિચાર આવે કે ભલે બહુ મોટા કાર્યો થાય ન થાય પરંતુ જે કોઈ પણ કાર્ય દિલીપભાઈ ના હાથ નીચેથી પસાર થાય તે પરફેક્ટ જરૂર હોય કે તેના પર આંખ બંધ કરી વિશ્વાસ મૂકી શકાય.
અમારી ચર્ચા ઘણા મુદ્દા પર થાય અને અનેકવાર આ ચર્ચા માં ઉમરનો તફાવત તથા સસરા-જમાઈ નો સબંધ આડે આવે અને માં અપમાન જેવી પરિસ્થિતિ નું સર્જન થાય. આવે સમયે પોતાના વિચાર ખુલ્લા દિલ થી કાગળ પર લખી દિલીપભાઈ મને બંધ કવર માં મોકલાવે અને તે બંધ કવર હું રાત્રે મારા ઘરના સ્ટડી ટેબલ પર ફાઈલો ફેરવતા વાચું પછી કાગળ માં લખેલા શબ્દો અને ભાવ ઉપર વિસ્તારથી વિચાર કરું. આમ મને દિલીપભાઈ ના લખાણ નો અનુભવ મહીને-બે મહીને એકાદ વાર જરૂર થાય. પરંતુ એક સુંદર નવલિકા નું સર્જન કરવાની ક્ષમતા તેમનામાં હશે તેનો મારે માટે આ પ્રથમ અનુભવ છે. મેં તેમને પ્રશ્ન કર્યો કે તેમને આ નવલિકા નું સર્જન કરવાને ઈચ્છા કે વિચાર ક્યાં થી આવ્યો? સૌ પ્રથમ તેમને લખવાનો વિચાર ક્યાંથી આવ્યો? ત્યારે દિલીપભાઈએ મને જણાવ્યું કે હવે પચાસ વર્ષ ની ઉંમર થઇ ગઈ છે. સમાજ માંથી ઘણું મેળવ્યું છે. અનુભવે જીવનમાં ઘણું ઘણું શીખવ્યું છે. હવે સમાજ ને કાંઈક પીરસવાની ઇચ્છા છે અને આ ઇચ્છા કોઈ ને જબરજસ્તી પીરસવા કરતાં લખાણ રૂપે જાણેકે બુફે ડીનર ટેબલ પર મૂકી દઉં. જેણે ઇચ્છા હોઈ તે વાંચશે.
દિલીપભાઈ જ્ઞાન પિપાસુ વ્યક્તિ છે. તેમની ડીગ્રીઓ માં ઈંગ્લીશ ની બારાખડી માંથી ભાગ્યે જ કોઈ અક્ષર બાકી રહી ગયો હશે અને હજી પચાસ વર્ષે પણ આગળ ભણવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે તે જોઈ ઘણી નવાઈ લાગે છે.
મિત્રો દિલીપભાઈ માટે લખવા બેસું તો મારે પાસે ઘણું ઘણું છે. પરંતુ અહિયાં વિરમું છું.
આ નવલિકા ના લખાણ પરથી તેમનો આડકતરી રીતે પરિચય વાચક ને થઇ જવાનો છે. મને પુરેપુરો વિશ્વાસ છે કે આ નવલિકા જેમ જેમ આગળ આગળ વાંચતા જાસો તેમ તેમ તેમાં રસ વધતો જશે અને હું શરત પણ મુકું છું કે ફક્ત એક વખત વાચી આપને તૃપ્તી નહીં થાય અને બધા નહીં તો થોડા પ્રસંગો ફરી વાગોળવાની મનમાં ઇચ્છા ભાવના જરૂર થશે અને જો તેમ બને તો લેખક તેના કાર્ય માં સફળ થયા છે તેમ છાતી ઠોકીને જરૂર કહી શકાય.
- હર્ષદ ભાયાણી
Coming Soon.
My first work in Gujarati.
"તિમિર નો વિચ્છેદ" (Timir no Vicched).
Likely date of launch 18-12-2010.

Tuesday, February 2, 2010

લાલચ

બહુજ મુશ્કેલથી છોડ્યો છે એ માર્ગ,
નથી ફરીને ભટકવું અંધારી ગલીઓમાં.

મૃગ-જળ સમાન આકર્ષિત કરે,
શામાટે મારી લગડ ન મુકે?
ફરી ને ભટકવા પ્રરિત કરે,
શામાટે મને તે ન તરછોડે?

આશા જ્યાં હતી જીતવાની....
લાલચ તો છે બેવફા....
કોઈની ક્યાં હતી થવાની?

આ લાલચ નું શું કરવું?
લાલચ યુગ-યુગ થી છે જૂની,
લાલચ એકાંત થી યે ઊંડી,
લાલચ દુશ્મન થી યે ભૂંડી,
લાલચ મન ને ઘડી સતાવે.
લાલચ મન ને મર્કટ બનાવે,
આ લાલચ નું શું કરવું?

હવે નથી જીવવું નકલી ચમક સાથે જીવન,
બહુ જહેમત પછી ન-નકલી માર્ગ જડ્યો છે.

છતાં મન શામાટે ભટકે?
લાલચ કેમ તૃષ્ણા કરી ત્રાટકે?

ફક્ત એક માર્ગ પર ચાલી શકાય.
ફક્ત..ફક્ત એક માર્ગ પર ચાલી શકાય.

આસાન માર્ગ પર સૌ નો સાથ,
કઠીન પર ભડવીર એકલો.
આસાન માર્ગ પર ચાલે ટોળું,
કઠીન માર્ગ પર સાવજ એકલો.

મન કેમ ભૂલે, મન કેમ ભૂલે?
છેવટ ની યાત્રા માં નથી પસંદગી.
ત્યાં નથી ટોળું કે ગરદી,
ત્યાં નથી ઇત્છા કે મરજી.

ભલે રહ્યો કાટા ને કંકર ભર્યો.
પણ છે તો વિશ્વાસ ભર્યો,
સત પ્રતીસત પરિણામ ભર્યો.

કાટા-કંકર થી ડરે તે સાવઝ શાનો?
ના, ના, નથી વિચલિત થવું હવે.

બહુજ મુશ્કેલ થી છોડ્યો છે એ માર્ગ,
નથી ફરીને ભટકવું અંધારી ગલીઓમાં.